ભારત જેવા દેશમાં આજે પણ ગુરુપૂર્ણિમા જેવા દિવસ મનાવવામાં આવે છે. જે એક સારી બાબત કહેવાય, પરંતુ વાસ્તવમાં તો ઘણા જ લોકો આ દિન અને ગુરુનું મહત્વ સમજી શક્યા નથી. ગુરુપૂર્ણિમાના દિવસે બધા જ લોકો ગુરુનું પૂજન કરે છે, શું બાકીના દિવસે આપણે ગુરુને યાદ કરીને પૂજન કરીએ છીએ! આ યુગ કળયુગ કહેવાય છે. તેથી જ પડકારાનો સામનો કરવા બધા જ વ્યક્તિને ગુરુની જરૂર રહે છે. એક રમતવીરની સિદ્ધિને સાચી દિશા તો તેના ગુરુ સમાન કોચ જ આપી શકે છે. સાંપ્રત સમયમાં મુશ્કેલી આવે તો ઘણા વ્યક્તિ હાર માની લે છે અને આપઘાત જેવા પ્રયત્નો કરે છે, ત્યારે જ ગુરુની સંગત મળી જાય તો જીવન સફળ બની જાય છે. ગુરુની વાત કરીએ ત્યારે કબીરની એક પંક્તિ જરૂરી યાદ આવે છે :
અર્થાત જેવી રીતે પારસના સ્પર્શથી પથ્થર સોનુ બને છે, તેવી રીતે ગુરુના સ્પર્શથી શિષ્ય પણ ગુરુ સમાન બને છે. રામકૃષ્ણ જેવા ગુરુને કારણે જ નરેન્દ્ર 'સ્વામી વિવેકાનંદ'માં પરિવર્તિત થયા. મહાત્મા ગાંધીની સફળતા પાછળ પણ તેમના ગુરુનો હાથ છે. દુનિયામાં ગમે તેટલો વિકાસ થાય, પરંતુ માનવીના જીવનમાં ગુરુનું સ્થાન તો હંમેશા ઉચ્ચ જ રહેશે. જ્યારે શાળામાં વિદ્યાર્થી ઊંચી સિદ્ધિ પ્રાપ્ત કરે તો સૌપ્રથમ તે તેના ગુરુ સમાન શિક્ષક અને માતા પિતાનો આભાર માને છે. સાંપ્રત સમયમાં વિદ્યાર્થીનું જીવન જોઈએ તો વિદ્યાર્થીને વારંવાર "પોઝિટિવ ઇન્સ્પીરેશન"ની જરૂર પડે છે, ત્યારે શિક્ષક જ ગુરુ બની પ્રેરણા આપે છે, ક્યારેક એની આંગળી પકડીને સાચો પથ બતાવે છે, ક્યારેક એનો હાથ ખામીને દિલાસો આપે છે, ક્યારેક ગુસ્સો કરીને કઠોર પણ બને છે, તો વળી ક્યારેક શાબાશી આપીને પીઠ પણ થપથપાવે છે. વર્તમાન સમયમાં ગુરુના સ્થાનની વાત એક વાસ્તવિકતાના ઉદાહરણ દ્વારા સમજીએ. જ્યારે પાંડુરંગ આઠવલેના સ્વાધ્યાય પરિવારમાં કોઈ કાર્યક્રમ થાય તો સ્વાધ્યાયી પોતાના ઘરેથી પ્રસાદ અને ભોજન લઈ જાય છે, જ્યારે બીજે બધે પ્રસાદના નામે લૂંટવામાં આવે છે. ભગવાન રામ અને શ્રીકૃષ્ણને માનનારા ઘણા લોકો છે, પરંતુ તેમાંના ઘણા ગુરુને સમજી શકતા નથી. રામ અને શ્રીકૃષ્ણના જીવનમાં પણ ગુરુનો હાથ હતો. ગુરુ પર તો આજે પણ પુસ્તકો લખાય છે, તેમજ પ્રાચીન સમયમાં પણ વેદો અને ગ્રંથોમાં ગુરુનું મહત્વ સમજાવવામાં આવ્યું છે .
No comments:
Post a Comment