Thursday 22 June 2023

મારા પ્રિય શિક્ષક

           શિક્ષક તો એવો દીપક છે જેનાથી રોશની ભર્યું ભવિષ્ય મળી શકે છે. એવો શિલ્પકાર છે જે પથ્થરને પણ મૂર્તિમાં પરિવર્તિત કરી શકે છે. એવા દીપક અને શિલ્પકાર સમાન મારા શિક્ષકનું નામ છે અંકિતસર ત્રીવેદી. તે મારા આદર્શ છે. તેવો અમને ગુજરાતી ભણાવતા હતા. તેમને અનુશાસન ઘણું પસંદ હતું. અમને અનુશાસિત બનવા હંમેશા પ્રોત્સાહિત કરતા હતા. ગુજરાતી વ્યાકરણ શીખવવાની તેમની ખૂબી કઈ અલગ જ હતી. તેથી જ વ્યાકરણ ઘણું સરળ અને મનોરંજક લાગતું. તેમની પાસે ગુજરાતી વિષયનું ઊંડાણપૂર્વક જ્ઞાન હતું. તેમને માટે બધા વિદ્યાર્થીઓ સમાન હતા. તેઓ નવરાશની પળોમાં અચૂક વાંચન કરતા હતા. તેઓ હંમેશા અમને કહેતા કે "મહેનત કર્યા વગર કશું મળતું નથી. જીવનમાં સફળ થવા માટે ખૂબ મહેનત કરવી પડે છે." તેઓ ગરીબ બાળકોને મફતમાં ટ્યુશન કરાવતા હતા. તેમનો સ્વભાવ પ્રેમ અને દયાળુ હતો. તેઓ જરૂર પડે તો વિદ્યાર્થીને કઠિન શિક્ષા પણ કરતા, પરંતુ તેમની શિક્ષામાંથી કઈ ને કંઈ શીખવા મળતું હતું. જ્યારે તેઓ ગદ્ય ભણાવતા ત્યારે મનોરંજક વાતો પણ કરતા. તેઓનામાં બધા વિદ્યાર્થીઓનું ગુજરાતી ભાષા તરફ આકર્ષવાની અનોખી આવડત હતી. બધા વિદ્યાર્થીઓ તેમનુ ખૂબ સમ્માન કરતા હતા. અમે જે પ્રશ્ન પૂછતા તેમનો જવાબ ખૂબ જ સુંદર અને શાંત સ્વભાવથી આપતા હતા. તેઓની પાસે સંગીત કલા પણ અદભુત હતી. જ્યારે વર્ગખંડમાં કાવ્ય જ્ઞાન કરતાં ત્યારે બધા વિદ્યાર્થીઓ મગ્ન થઈને સાંભળતા હતા. કઠિન મુદ્દાઓને પણ ઉદાહરણ દ્વારા સરળ રીતે સમજાવતા. તેમના મધુર સ્વરથી શાળાની પ્રાર્થના પણ આહલાદક અને મનને શાંતિ આપે તેવી થતી હતી. તેઓનામાં સજનાત્મકતાનો પણ ગુણ હતો. હંમેશા કઈને કંઈ કાવ્ય  ને વાર્તા નું સર્જન કરીને અમને સંભળાવતા. આવા મારા આદર્શ શિક્ષકમાંથી મે અને અન્ય વિદ્યાર્થીઓએ ઘણી પ્રેરણા મેળવી અને જિંદગીમાં સફળતા વિશે પણ ખૂબ જ સરસ જ્ઞાન પ્રાપ્ત કર્યું. પોતાના વિદ્યાર્થીઓ પ્રત્યે તેમના દ્રષ્ટિકોણ હંમેશા સહાનુભૂતિ ભર્યો હતો. તદઉપરાંત તેઓ વિદ્યાર્થીના સાચા મિત્ર અને માર્ગદર્શક પણ હતા. અંકિત સર હંમેશા સમય પર વર્ગખંડમાં આવી જતા .એક મિનિટ પણ બગાડવા ન દેતા. તેમનું વ્યક્તિત્વ ખૂબ પ્રભાવશાળી હતું. આજના સમયમાં આવા સારા ને સમજદાર શિક્ષક મળવા ઘણા મુશ્કેલ હોય છે. વર્ગખંડમાં જ્યારે તેઓ ગદ્ય-પદ્યનુ અધ્યયન કરાવતા ત્યારે અઘરા શબ્દો આવે તો તેનો અર્થ પહેલા અમને પૂછતા ત્યાર પછી તેઓ સાચો અર્થ કહેતા. જેનાથી શબ્દનો અર્થ અમને બરોબર યાદ રહી જતો. અમારી પાસે પદ્યનું ગાન પણ કરાવતા. જેમાં બધા જ વિદ્યાર્થીઓને ખૂબ રસ પડતો હતો. પુસ્તકમાંથી તો બધા જ વાંચી લે પરંતુ તેમની પાસે પુસ્તકનું જ્ઞાન ઉપરાંત અન્ય વિષયો અને બહારની દુનિયાનું વ્યવહારુ જ્ઞાન પણ હતું. તેઓ અમને શૈક્ષણિક પ્રવૃત્તિઓ ઉપરાંત અન્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે હંમેશા પ્રોત્સાહિત કરતા. જ્યારે કોઈ વિદ્યાર્થી સારું પ્રદર્શન કરે તો તેમને પુરસ્કાર આપીને પણ પ્રોત્સાહિત કરતા હતા. તેઓનું કહેવું હતું કે "વિદ્યાર્થીઓએ દરેક સમયે કંઈક નવું શીખવાની ઈચ્છા રાખવી જોઈએ. તેમના શબ્દો હંમેશા અમારા માટે મૂલ્યવાન છે."

           શિક્ષક રાષ્ટ્રના ઘડવૈયાઓનું નિર્માતા હોય છે. અંકિતસર સાચા અર્થમાં નિર્માતા છે. તે અમારા આદર્શ છે. તેમનો સ્વભાવ અન્ય શિક્ષકોને પણ પ્રેરણા અપાવાવાળો છે. જો આવા શિક્ષક મળી જાય તો દુર્જન માનવીનું જીવન પણ ધન્ય બની જાય છે.

No comments:

Post a Comment

મારા જીવનનો યાદગાર પ્રસંગ

           જીવનમાં સુખ આવે તો સુખ પછી દુઃખ પણ આવે. કેટલાક પ્રસંગો અવિસ્મરણીય બની જતા હોય છે. કેટલીક યાદ સુખભરી હોય છે તો કેટલીક યાદો દુઃખ આપ...